HomeBusinessત્રીજા ત્રિમાસિકગાળામાં દેશનો GDP વૃદ્ધિ દર ઘટીને 4.6% રહેવાની ધારણા

ત્રીજા ત્રિમાસિકગાળામાં દેશનો GDP વૃદ્ધિ દર ઘટીને 4.6% રહેવાની ધારણા

અમદાવાદઃ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન દેશનો GDP વૃદ્ધિ દર ઘટીને 4.6 ટકા થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી હતી કે આ ક્વાર્ટર માટેના 30 મુખ્ય સૂચકાંકો સૂચવે છે કે દેશની વૃદ્ધિ અગાઉના ક્વાર્ટરની જેમ મજબૂત નથી.

જો કે આ અંદાજ ભારતીય રિઝર્વ બેંકના 4.4 ટકા વૃદ્ધિ દરના અંદાજ કરતા વધારે છે. અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.3 ટકા હતો. આર્થિક વૃદ્ધિના અંદાજમાં ઘટાડા પાછળનું એક કારણ ભારતીય કંપનીઓના નબળા ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો છે.

નાણાકીય સેવાઓ અને વીમા કંપનીઓને બાદ કરતાં, ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ઓપરેટિંગ નફો 9 ટકા વધ્યો હતો, જે ગયા વર્ષના 18 ટકાના અડધા ટકા હતો. એસબીઆઈ ગ્રુપના ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યકાંતિ ઘોષે રિપોર્ટમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કંપનીઓના ચોખ્ખા વેચાણમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. જોકે, નફામાં સરેરાશ 16 ટકાનો ઘટાડો થયો છે.

ઘોષે જણાવ્યું હતું કે સંપૂર્ણ નાણાકીય વર્ષ 2023 માટે દેશની જીડીપી વૃદ્ધિ 7 ટકા રહેવાની ધારણા છે, જે અગાઉના 6.8 ટકાના અંદાજથી વધુ છે. આ કંપનીઓનું માર્જિન FY2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને 11.9 ટકા થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 15.3 ટકા હતું.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News