ગાંધીનગરઃ સુરત રેપ કેસમાં અસરાને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. જ્યારે અન્ય 6 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. આ કેસમાં આસારામ સહિત 7 લોકો સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના વર્ષ 2001ની છે અને વર્ષ 2013માં રેપનો કેસ નોંધવામાં આવ્યો હતો.
આવતીકાલે સજા આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે આસારામ હાલ જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારબાદ કોર્ટે પુરાવાના અભાવે 6 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. આસારામને આવતીકાલે સવારે 11 વાગ્યે સજા સંભળાવવામાં આવશે.
શું છે મામલો?
આસારામ પર સુરતની બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આસારામની સાથે તેમના પુત્ર નારાયણ સાંઈ પર પણ બળાત્કારનો આરોપ છે. આ પછી બંને બહેનોએ પિતા-પુત્ર વિરુદ્ધ અલગ-અલગ ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનનો કેસ ગાંધીનગર ટ્રાન્સફર થયો હતો. આ કેસ 6 ઓક્ટોબર, 2013ના રોજ નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર તરફથી 55 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ સિવાય સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.